મુખ્ય નિયમો:
આર.ટી.ઈ. મુજબ ધોરણ -૧ માં પ્રવેશ મળશે.
ધોરણ-૧ માં પ્રવેશ વખતે જન્મનો દાખલો આપવાનો રહેશે, જ્યાં સુધી દાખલો આપવામાં નહિ આવે ત્યાં સુધી પ્રવેશ પૂર્ણ નહિ ગણાય.
જો વિદ્યાર્થી પરપ્રાંતમાંથી આવતા હોય તો માન્યતા પામેલી આગલી શાળાનું પ્રમાણપત્ર (એલ.સી.)જિલ્લા શિક્ષણ અધિકારીની પ્રતિ સહીં (કાઉન્ટર સિગ્નેચર) સાથેનું મળ્યા બાદ જ પ્રવેશની વિધિ પૂર્ણ ગણાશે.
જ્યાં સુધી કોઈપણ વાલી રૂબરૂમાં લેખિત માં અરજી નહીં કરે કે શાળાની લેહણી રકમ,પુસ્તકાલયની બધી જ ચોપડી, હોસ્ટેલની ફી ભરવામાં નહીં આવે ત્યાં સુધી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.) આપવામાં આવશે નહિ.
જ્યાં સુધી શાળા છોડ્યાની લેખિતમાં અરજી કરવામાં નહિ આવે ત્યાં સુધી ફી બાકી ગણવામાં આવશે.
એલ.સી.ની લેખિત અરજી કરતી વખતે ફી ર્કાર્ડ સાથે રાખવું તથા અરજી આપ્યાના બે દિવસ પછી (એલ.સી.) આપવામાં આવશે.